બિલિપત્ર અને મધના પ્રયોગ થકી ભાગ્ય પરિવર્તન શક્ય બન્યું
આજના અત્યાધુનિક જમાનામાં વ્યક્તિ ભૌતિકવાદ તરફ ખૂબ જ વળેલી છે જે કોઈ વસ્તુની ઇચ્છા હોય એ તુરંત જ પ્રાપ્ત કરી લે છે પરંતુ આ બધી વસ્તુ જો નસીબ સાથ આપે તો જ શક્ય બને છે મેં એવા ઘણા લોકોને જોયા છે કે જેઓ બધા જ પ્રકારના મંત્ર તંત્ર ના પ્રયોગ બાધા-આખડી કે નંગ ધારણ કરીને થાક્યા હોય પરંતુ કંઈ જ પરિણામ ન મળ્યું હોય તો એવા સમયે મનમાં પ્રશ્ન થાય કે આટલું કરવા છતાં પણ જો પરિણામ ન મળતું હોય તો શું કરવું આવા સમયે એક નાનકડો પ્રયોગ અચૂક પરિણામ આપવા સમર્થ છે જે કરવાથી નસીબ આડેનું પાંદડું ખસી જાય છે અને જીવનમાં ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે પ્રયોગ આ પ્રમાણે છે એક બીલીપત્ર લેવું તેના ત્રણેય પાન પર કંકુથી નામ લખવું ત્યારબાદ તેને એક ડબ્બામાં મૂકી દેવું અને તેના પર મધની ધાર કરવી પાંદડું ડુબે એટલું જ ડબ્બામાં લેવું તેને કોઈપણ એક સ્થાને મૂકી દેવું ૧૧ દિવસ સુધી રોજ દીવો અને અગરબત્તી નો ધૂપ આપવો શક્ય હોય તો ડબ્બાને પાણી ભરેલી થાળી માં મુકવો જેથી કીડીઓની હેરાનગતિ ન રહે આમ સતત કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના આ પ્રયોગ કરવાથી ભાગ્ય પરિવર્તન થવાની પૂરી શક્યતા રહે છે આમ તો આ પ્રયોગ ઘણાં લોકો પાસે કરાવ્યો છે...